આવકના દાખલા અંગેની સંપૂર્ણ માહિતી

⚙ આવકનો દાખલો શું છે?
  • આવકનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર છે, જે કોઈ કુટુંબની ગત નાણાકીય વર્ષની વાર્ષિક આવક દર્શાવે છે.
  • તેનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓ, સ્કોલરશિપ, લોન, નોકરી તથા અન્ય સુવિધાઓ મેળવવા માટે થાય છે, જ્યાં આવક દર્શાવવી ફરજિયાત હોય છે.
⚙ આવકનો દાખલો મેળવવા ક્યાં અરજી કરવી? અને પ્રક્રિયા કેવી રીતે ચાલે?

ગ્રામ્ય વિસ્તાર માટે આવકનો દાખલો (₹5.00 લાખ સુધી)

આવકનો દાખલો તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી મેળવવામાં આવે છે. અરજદારએ ગ્રામ પંચાયત કચેરીમાંથી જરૂરી ફોર્મ મેળવી, તેમાં જરૂરી માહિતી ભરી અને દસ્તાવેજો સાથે જમા કરાવવાના રહે છે.

કાર્યપ્રવાહ (Work Flow)

  1. તલાટી કમ મંત્રીશ્રી પંચોની હાજરીમાં અરજદારની આવક અંગે રૂબરૂ ખાતરી કરે છે અને જરૂરી સહી-સિક્કા કરે છે. આવકના દાખલા માટેના ફોર્મ ઉપલબ્ધ કરાવવા, ભરવા અને ઓનલાઈન એન્ટ્રી કરવાની સુવિધા પંચાયત કચેરીએ ઉપલબ્ધ છે. પંચાયત વિભાગના તા. 16/10/2019ના ઠરાવ મુજબ, આ પ્રક્રિયા માટે ₹40 ફી પંચાયત દ્વારા અરજદાર પાસેથી વસૂલવામાં આવે છે.
  2. તલાટી દ્વારા પ્રમાણિત થયેલ ફોર્મની માહિતી ગ્રામ પંચાયતના VCE (Village Computer Entrepreneur) દ્વારા સરકારશ્રીના Digital Gujarat Portal પર ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. એન્ટ્રી બાદ પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવે છે.
  3. તલાટી કમ મંત્રીશ્રી દ્વારા અરજીની ચકાસણી કર્યા પછી, અરજદારને આવકનો દાખલો (Income Certificate) આપવામાં આવે છે.
    આ પ્રકારનો દાખલો માત્ર ₹5.00 લાખ સુધીની આવક ધરાવતા ગ્રામ પંચાયત વિસ્તારના નાગરિકો માટે જ માન્ય છે.

તાલુકા કક્ષાએથી આવકનો દાખલો મેળવવાની પ્રક્રિયા

તાલુકા કક્ષાએ આવકનો દાખલો મેળવવા માટે અરજદારએ ગ્રામ પંચાયત કચેરી (ગ્રામ્ય વિસ્તાર) અથવા તલાટી કચેરી (શહેરી વિસ્તાર) ખાતે જ જરૂરી ફોર્મ અને પુરાવા તૈયાર કરીને અરજી રજૂ કરવાની રહે છે. ત્યારબાદની આખી પ્રક્રિયા તાલુકા કચેરી સ્તરે હાથ ધરવામાં આવે છે.

કાર્યપ્રવાહ (Work Flow)

  1. અરજદાર તલાટી / કસબા તલાટી પાસે જરૂરી ફોર્મ પુરાવા સાથે પંચોની હાજરીમાં હાજર રહે છે.
  2. તલાટીશ્રી પંચો પાસેથી અરજદારની આવક અંગે ખાતરી મેળવી, ફોર્મ પર સહી અને સિક્કા કરે છે.
  3. તૈયાર થયેલું ફોર્મ ત્યારબાદ તાલુકાના જનસેવા કેન્દ્ર ખાતે જમા કરાવવામાં આવે છે.
  4. જનસેવા કેન્દ્ર પર અરજદાર ₹20 ફી ચૂકવી, જરૂરી ઓનલાઈન એન્ટ્રી કરાવે છે.
  5. ફોર્મ અને દસ્તાવેજો બાદમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) અથવા મામલતદાર કચેરીમાં જરૂરી ચકાસણી માટે મોકલવામાં આવે છે.
  6. ચકાસણી બાદ TDO અથવા મામલતદારશ્રી આવકનો દાખલો પ્રમાણિત કરશે અને અરજદારને જમા કરેલ સરનામે પોસ્ટ દ્વારા પહોંચાડશે.
    આ પ્રક્રિયા ગ્રામ્ય તેમજ શહેરી — બંને પ્રકારના નાગરિકો માટે લાગુ પડે છે.

ઓનલાઈન પોર્ટલ દ્વારા — Digital Gujarat Portal

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ Digital Gujarat Portal દ્વારા હવે નાગરિકો ઘરેથી જ સરળતાથી આવકનો દાખલો (Income Certificate) મેળવી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન અને ડિજિટલ છે, જેથી નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર મારવાની જરૂર રહેતી નથી.

કાર્યપ્રવાહ (Work Flow)

  1. પોર્ટલ પર રજીસ્ટ્રેશન — અરજદાર પ્રથમ https://www.digitalgujarat.gov.in પર જઈ પોતાના Login/Register વિભાગમાં નવી ID બનાવી શકે છે (અથવા જૂની ID થી લોગિન કરી શકે છે).
  2. ફોર્મ પસંદ કરવું — પોર્ટલના “Citizen Services” વિભાગમાં જઈ Revenue → Income Certificate વિકલ્પ પસંદ કરવો.
  3. ફોર્મ ભરવું અને દસ્તાવેજો અપલોડ કરવાં — ફોર્મમાં માંગેલી વ્યક્તિગત, આવક અને સરનામાની માહિતી ભરીને જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી.
  4. ફી ચૂકવણી — અરજી સબમિટ કર્યા બાદ ₹20 ફી ઓનલાઈન માધ્યમ (ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI વગેરે) દ્વારા ચૂકવી શકાય છે.
  5. ચકાસણી પ્રક્રિયા — અરજી ચકાસણી માટે સંબંધિત તાલુકા કચેરી અથવા તલાટી કચેરીમાં મોકલવામાં આવે છે, જ્યાં દસ્તાવેજોની ખાતરી થાય છે.
  6. પ્રમાણપત્ર ડાઉનલોડ — ચકાસણી પૂર્ણ થયા બાદ, અરજદાર પોતાના Digital Gujarat એકાઉન્ટમાં લોગિન કરી PDF સ્વરૂપમાં આવકનો દાખલો ડાઉનલોડ કરી શકે છે.

નોંધ :

  • અરજદાર પાસે માન્ય મોબાઇલ નંબર અને ઈમેલ ID હોવી આવશ્યક છે.
  • અરજીની સ્થિતિ (“Application Status”) પણ પોર્ટલ પરથી જ જોઈ શકાય છે.
  • દાખલો ઇલેક્ટ્રોનિક સહી (Digital Signature) સાથે માન્ય ગણાય છે.
⚙ આવકના દાખલાની અરજી માટે જરૂરી દસ્તાવેજો

આવકના દાખલાની અરજી સાથે નીચે દર્શાવેલ પુરાવાઓ ફરજિયાત રીતે જોડવા જરૂરી છે

  1. ઓળખ પુરાવા માટે : આધાર કાર્ડ | PAN કાર્ડ | મતદાર ઓળખપત્ર વગેરે
  2. રહેઠાણ પુરાવા માટે : વીજળી બિલ | ભાડા કરાર | સંપત્તિ દસ્તાવેજ | રેશન કાર્ડ
    ચાલુ વર્ષની ધરવેરા પાવતી સહિત રહેઠાણ સંબંધિત પુરાવા ફરજિયાત
  3. આવક સંબંધિત પુરાવા માટે :
    • જો કુંટુંબના કોઇ સભ્ય નોકરી કરતાં હોય તો – નોકરી આપનાર સંસ્થા/કંપની/પેઢીનો દાખલો, પગાર સ્લિપ અથવા ઈન્કમટેક્સરીટર્ન
    • પેન્શનની આવક હોય તો – સબટ્રેઝરી / ટ્રેઝરીનો દાખલો
    • ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન કે કૃષિ વ્યવસાય કરતા હોય તો સંબંધિત મંડળીનો દાખલો
    • ખેતી / પશુપાલન / સ્વરોજગાર સંબંધિત દસ્તાવેજો
  4. જમીન અને ખેતી સંબંધિત પુરાવા :
    • જમીન ધારણ કરતાં હોય તો ૮-અ નો ઉતારો
    • ૧.૦૦ (એક) લાખથી વધુ આવકના દાખલાની અરજી માટે : (૮-અ અને ૭/૧૨ ના ઉતારા) - (છેલ્લા નાણાકીય વર્ષના ખેતીની આવકના બિલો)
    • ૧.૦૦ (એક) લાખથી વધુ આવકના દાખલાની અરજી માટે : (૮-અ અને ૭/૧૨ ના ઉતારા) - (છેલ્લા નાણાકીય વર્ષના ખેતીની આવકના બિલો)

નોંધ :

  • ₹1,00,000 (એક લાખ)થી વધુ આવક ધરાવતા અરજદારોનેસોગંધનામું / સ્વઘોષણા જે માંગવામાં આવે તે ફરજિયાતરજુ કરવાનું રહેશે.
  • તમામ દસ્તાવેજોસાચા અને પ્રમાણિત નકલરૂપેરજૂ કરવાના રહેશે.
  • અરજદાર અથવા કુંટુંબના મુખ્ય વ્યક્તિએરૂબરૂ હાજર રહી અરજીકરવાની રહેશે.
  • અરજી પર રુ ૩/-ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવો જરૂરી છે.
⚙ સમય મર્યાદા
  • આવકના દાખલાની માન્યતા સામાન્ય રીતે 3 નાણાકીય વર્ષ માટે હોય છે.
  • ઉદાહરણરૂપે, જો આવકનો દાખલો તારીખ 12/12/2020 ના રોજ બહાર પાડવામાં આવ્યો હોય, તો તે 31/03/2023 સુધી માન્ય ગણાશે.
  • જો આ સમયગાળા દરમિયાન કુંટુંબની આવકમાં કોઇ ફેરફાર થયો હોય, તો નવો દાખલો મેળવવાની જવાબદારી સંબંધિત કુંટુંબની રહેશે.
  • સમયગાળો પૂરો થયા બાદ જૂનો દાખલો સરકારી કામકાજ માટે માન્ય રહેશે નહીં, તેથી સમયસર નવી અરજી કરવી અનિવાર્ય છે.
આવકનો દાખલો કેટલા સમય માટે માન્ય હોય છે? ઉદાહરણ સાથે સમજાવો.

Answer આવકનો દાખલો સામાન્ય રીતે 3 નાણાકીય વર્ષ માટે માન્ય ગણાય છે. તેનો સમયગાળો દાખલો ક્યારે ઈશ્યુ થયો છે તેના આધારે નક્કી થાય છે.

  • 📌 ઉદાહરણ:
    • જો આવકનો દાખલો 12/12/2020 ના રોજ બનાવાયો હોય, તો તેની માન્યતા 31/03/2023 સુધી રહે છે. અથવા કહીએ તો – જે વર્ષમાં દાખલો કાઢાયો હોય તે નાણાકીય વર્ષ સાથેના 3 વર્ષ પૂરાં થાય ત્યાં સુધી તે માન્ય રહે છે.
  • 📌 નોંધ:
    • જો આ સમયગાળામાં પરિવારની આવકમાં ફેરફાર થાય તો નવો દાખલો કરાવવો જરૂરી છે.
ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષાના આવકના દાખલામાં શું તફાવત હોય છે?

Answer

  • 📌 ગ્રામ્ય કક્ષા આવકનો દાખલો
    • તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવે છે.
    • માત્ર ગ્રામ્ય વિસ્તાર માટે માન્ય.
    • ₹5 લાખ સુધીની આવક માટે જ માન્ય.
    • કેટલીક સરકારી યોજનાઓમાં તાલુકા કક્ષાનો દાખલો માંગવામાં આવે છે.
  • 📌 તાલુકા કક્ષા આવકનો દાખલો
    • ગ્રામ્ય વિસ્તાર માટે TDO (તાલુકા વિકાસ અધિકારી) દ્વારા આપવામાં આવે છે.
    • શહેરી વિસ્તાર માટે મામલતદાર દ્વારા આપવામાં આવે છે.
    • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓમાં માન્ય.
    • ₹5 લાખથી વધુ આવક માટે પણ કાઢી શકાય છે.
આવકનો દાખલો શું છે અને શા માટે જરૂરી છે?

Answer આવકનો દાખલો સ્થાનિક સત્તામંડળ/સરકાર દ્વારા આપવામાં આવતું સત્તાવાર પ્રમાણપત્ર છે, જે અરજદારના પરિવારની ગત નાણાકીય વર્ષની કુલ આવક દર્શાવે છે. ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ પરિવાર સભ્યોની આવક મળીને પરિવારની આવક ગણવામાં આવે છે.

  • 📌 આવકનો દાખલો નીચે બતાવેલ યોજનાઓ/કામ માટે ઉપયોગમાં આવે છે:
    • સરકારી યોજનાઓનો લાભ મેળવવા
    • શૈક્ષણિક સ્કોલરશિપ અને ફી કન્સેશન
    • સરકારી નોકરી ભરતી પ્રક્રિયા
    • બેંક લોન / શિક્ષણ લોન
    • આવાસ યોજના (PMAY વગેરે)
    • વૃદ્ધ પેન્શન / વિધવા સહાય
    • અન્ય આર્થિક સહાય યોજનાઓ
આવકનો દાખલો મેળવવા માટે આવક સંબંધિત કયા પુરાવા જોડવા જરૂરી છે?

Answer અરજદાર કયા પ્રકારની આવક ધરાવે છે તેના આધારે નીચે મુજબ પુરાવા જોડવા જરૂરી છે:

  • 📌 ખેતી (Agriculture) આવક હોય તો:
    • 7/12 તથા 8-A નો ઉતારો
    • ખેતીની આવકના બિલ/રસીદ (પાક વેચાણની રસીદ વગેરે)
  • 📌 પશુપાલન આવક હોય તો:
    • દૂધ ઉત્પાદન મંડળી/ડેરીનો આવક દાખલો
    • પશુપાલનથી થતી આવકની રસીદ
  • 📌 નોકરીની આવક હોય તો:
    • પગાર સ્લિપ
    • ફોર્મ-16 અથવા ITR (લાગુ પડે તો)
    • નોકરી આપનાર સંસ્થાનો આવક અંગેનો દાખલો
  • 📌 ધંધો/વ્યવસાય હોય તો:
    • છેલ્લા વર્ષનું સરવૈયું (Income Statement)
    • ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) / GST રિટર્ન (જો હોય તો)
  • 📌 પેન્શન આવક હોય તો:
    • સબ-ટ્રેઝરી / ટ્રેઝરીનું પેન્શન સર્ટિફિકેટ
  • 📌 અન્ય આવક હોય તો (જેમ કે ભાડું / વ્યાજ વગેરે):
    • બેંક સ્ટેટમેન્ટ અથવા સંબંધિત પુરાવા